ઇવોલ્વ્યુલસ એલ્સિનોઇડ્સ (Evolvulus alsinoides) એ વિષ્ણુક્રાંતિ તરીકે જાણીતી ઔષધિય વનસ્પતિ છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં મગજ અને ત્વચા સંબંધિત ઘણા રોગોના ઉપચાર માટે થાય છે. આ છોડ ભારત સહિત એશિયાના અનેક ભાગોમાં જોવા મળે છે. વિષ્ણુક્રાંતિ પાવડરમાં મજબૂત એન્ટીઑક્સિડન્ટ અને ફ્લાવોનોઇડ્સ હોય છે, જે સ્મૃતિ અને મગજની કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગી છે.
આ પાવડરના આરોગ્યલાભ:
સ્મૃતિશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારવામાં સહાયક.
તાવ, નર્વસ ડિબિલિટી અને ડિમેન્શિયા માટે લાભદાયી.
હૃદય સંબંધિત રોગો માટે આયુર્વેદિક ઉપચાર રૂપે ઉપયોગી.
સોરાયસિસ, એક્ઝિમા, પિમ્પલ્સ અને સનબર્ન જેવી ત્વચાની સમસ્યાઓમાં રાહત આપે છે.
માથાનો દુખાવો અને તણાવ દૂર કરવામાં સહાયરૂપ છે.
વાળના વૃદ્ધિમાં પણ ઉપયોગી છે.
ઉપયોગની રીત:
અંતઃઉપયોગ માટે: 5 ગ્રામ પાવડર 100 મિલી પાણીમાં ઉકાળો, અને ભોજન પહેલાં દિવસમાં બે વાર પીવો.
બાહ્ય ઉપયોગ માટે: પાણીમાં પાવડર મિક્ષ કરી પેસ્ટ બનાવો અને વાળમાં લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો.













Reviews
There are no reviews yet.